કચ્છજા વાવડ / લક્ષ્મીપુર (નેત્રા) સનાતન સમાજની કારોબારી મીટીંગનો અહેવાલ


ધારાપુરમ (.દ્ર.) : (અમારા પ્રતિનિધિ શ્રી હિરાલાલ કે. પજવાણી, લીંબડી - સૌરાષ્ટ્ર ઝોન દ્વારા)

લક્ષ્મીપુર (નેત્રા) સનાતન સમાજની કારોબારી મીટીંગ અત્રે શ્રી કાન્તિલાલ મનજીભાઈ રવાણીના આમંત્રણથી તા. ૨૪,૨૫ જૂન, ૨૦૧૬ના રોજ તેમના નિવાસસ્થાને
પ્રમુખ શ્રી જીવરાજભાઈના અધ્યક્ષસ્થાને મળેલ, જેમાં ભારતભરથી ૧૫ જેટલા કારોબારી સભ્યોશ્રીઓ સજોડે કાર્યવાહીમાં ભાગ લેવા હાજર રહેલ, જેમાં ભગવાન
શ્રી લક્ષ્મીનારાયણનો વાર્ષિક પાટોત્સવ તા. ૨૨-૮-૧૬ના રોજ ધામધૂમથી ઉજવવાનું તેમજ વાર્ષિક સામાન્ય સભા તા. ૨૩-૮-૧૬ના સવારે ૮-૦૦ કલાકે
સમાજવાડી ખાતે મળશે એવું નક્કી કરવામાં આવ્યું અને યુવા મંડળનું બંધારણ નક્કી કરવામાં આવ્યું.

શ્રી કાન્તિભાઈ રવાણી દ્વારા બે દિવસ કોડાઈ કેનાલ, પલની વિગેરે સ્થળોએ ફરવા જવાની ગોઠવણ કરેલ અને શ્રી હરીભાઈ છાભૈયા (શેંગોટા) દ્વારા તીનકાસી,
કન્યાકુમારી, કુટાલમફોલ્સ, મદુરાઈ મીનાક્ષી મંદિર વિગેરે જોવાલાયક સ્થળોએ જવાનું ગોઠવેલ. સમૂહમાં યાત્રા, પ્રવાસ વિગેરેનો આનંદ લીધેલ. શ્રી મનજીભાઈ
રવાણી (ધારાપુરમ)ના સર્વે પરિવારજનોએ મીટીંગના આયોજન માટે જહેમત ઉઠાવેલ. એક સપ્તાહ સૌ સાથે રહ્યા બાદ છુટા પડેલ.