કચ્છજા વાવડ / ટોડીયા શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજની કારોબારી તથા જનરલ મીટીંગ ૨૦મી ઓગષ્ટે યોજાશે


ટોડીયા : (અમારા પ્રતિનિધિ શ્રી ઈશ્વરભાઈ, ગોધરા દ્વારા)

શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજની કારોબારી તથા જનરલ સામાન્ય સભાની મીટીંગ તથા મંદિરના પાટોત્સવ કાર્યક્રમ અંગેની ચર્ચા સમાજના ઉપપ્રમુખ શ્રી
ડાહ્યાભાઈ સોમજી પોકાર તથા મંત્રી શ્રી રતિલાલ ડાહ્યાભાઈ દિવાણીના અધ્યક્ષસ્થાને શ્રાવણ વદ-૨, શનિવાર, તા. ૨૦-૮-૧૬ના રોજ યોજાશે. કારોબારીની
મીટીંગ તા. ૨૦-૮-૧૬ સવારે ૮-૩૦ કલાકે મળશે. એજન્ડા મુજબ ગત મીટીંગની મીનીટબુકનું વાંચન, સમાજના હિસાબોની રજૂઆત, સમાજના ટૂસ્ટ બનાવવા
બાબત આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખશ્રીની વરણી તથા મંદિરના પાટોત્સવની ઉજવણી અંગેની ચર્ચા વિચારણા તથા હાજર રહેલ

સર્વે સભ્યોની મીટીંગ તા. ૨૧-૮-૧૬ સવારે ૯-૦૦ રાખેલ છે.

આ અવસરે સર્વે ટોડીયાવાસીઓને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. પ્રસંગ દરમ્યાન સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા તા. ૧૩-૮-૧૬ થી તા.
૨૭-૮-૧૬ સુધી રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઉપપ્રમુખ તથા મંત્રીશ્રીનો સંપર્ક કરવો. મો.: ૯૮૨૧૧ ૪૮૦૧૮ (ડાહ્યાભાઈ) , ૯૮૨૬૦ ૧૧૫૩૩
(રતિલાલભાઈ) .